ભારતમાં કંપની શાસન અને તેનો વિકાસ: સ્પર્ધાત્મક પરીક્ષા માટે માસ્ટર નોટ્સ​

ગુજરાત પોલીસ અને CCE પરીક્ષા માટે ભારતમાં અંગ્રેજ કંપની શાસન, રેગ્યુલેટિંગ એક્ટ, અને ચાર્ટર એક્ટની સરળ સમજૂતી તથા 25 પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ.
રામ રામ મિત્રો, સરકારી નોકરીની તૈયારીમાં આધુનિક ભારતનો ઈતિહાસ એટલે સૌથી સ્કોરિંગ વિષય. પણ જ્યારે કંપની શાસન (Company Rule) ની વાત આવે અને પેલા અઘરા એક્ટ (કાયદાઓ) ની સાલવારી યાદ રાખવાની હોય, ત્યારે ભલભલા ગોટે ચઢી જાય છે.
​આજે Gujarati Job Quiz પર આપણે કોઈ ચોપડીની અઘરી ભાષામાં નહિ, પણ એકદમ આપણી દેશી સ્ટાઈલમાં સમજીશું કે અંગ્રેજોએ વેપાર કરવા આવેલી કંપનીને ભારત પર રાજ કરવા માટે ધીમે-ધીમે કેવી રીતે પાવર આપ્યો.

​૧. કંપની શાસનની શરૂઆત: પ્લાસી અને બક્સર

​મિત્રો, 1600 ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માત્ર વેપાર કરવા આવી હતી. પણ 1757 માં પ્લાસીનું યુદ્ધ અને 1764 માં બક્સરનું યુદ્ધ જીત્યા પછી તેઓ બંગાળ, બિહાર અને ઓરિસ્સાના રાજા (દીવાની સત્તાના માલિક) બની ગયા. હવે કંપનીના અમલદારો બેફામ લૂંટ ચલાવવા માંડ્યા અને બ્રિટિશ સરકારને લાગ્યું કે જો આમ જ ચાલશે તો કંપની ડૂબી જશે. એટલે બ્રિટિશ સંસદે કંપનીને કંટ્રોલમાં લેવા માટે કાયદા (Acts) બનાવવાનું શરૂ કર્યું.

​૨. રેગ્યુલેટિંગ એક્ટ - 1773 (નિયમન ધારો)

​આ કાયદો કંપનીને સીધી કરવા માટે બ્રિટિશ સંસદનો પહેલો હથોડો હતો.
  • ​શું ફેરફાર થયો? બંગાળના ગવર્નરને પ્રમોશન આપીને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દીધો.આ પહેલો ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ.
  • મોટું કામ: આ કાયદા હેઠળ જ 1774 માં કલકત્તામાં પહેલી સુપ્રીમ કોર્ટ બની, જેના પહેલા જજ સર એલિઝા ઈમ્પે હતા. હવે મુંબઈ અને મદ્રાસના ગવર્નરો પણ બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે આવી ગયા.

​૩. પિટ્સ ઇન્ડિયા એક્ટ - 1784

​રેગ્યુલેટિંગ એક્ટમાં અમુક ખામીઓ હતી, એટલે બ્રિટનના વડાપ્રધાન વિલિયમ પિટ્ટે આ નવો કાયદો કાઢ્યો.
  • શું ફેરફાર થયો? કંપનીના કામને બે ભાગમાં વહેંચી દીધું: વેપારનું કામ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે, અને રાજકારણ (લડાઈ, વહીવટ) નું કામ સંભાળવા લંડનમાં એક નવું 6 સભ્યોનું બોર્ડ ઓફ કંટ્રોલ (નિયંત્રણ મંડળ) બનાવ્યું. એટલે કે હવે ભારત પર કંપની અને બ્રિટિશ સરકાર બંનેનું રાજ ચાલવા લાગ્યું (દ્વિમુખી શાસન).

​૪. ચાર્ટર એક્ટ્સ (Charter Acts) ની સિરીઝ

​બ્રિટિશ સરકાર દર 20 વર્ષે કંપનીના લાયસન્સ (ચાર્ટર) રિન્યૂ કરતી હતી અને દર વખતે કંપનીના પાવર કાપતી જતી હતી:
  • ચાર્ટર એક્ટ - 1813: કંપનીનો વેપાર કરવાનો ઈજારો (Monopoly) ખતમ કરી નાખ્યો! પણ બે વસ્તુઓ - ચા નો વેપાર અને ચીન સાથેનો વેપાર - કંપની પાસે જ રાખ્યા. શિક્ષણ માટે પહેલીવાર 1 લાખ રૂપિયા મંજૂર કર્યા.
  • ​ચાર્ટર એક્ટ - 1833: આ કાયદાથી ભારતનું 100% સેન્ટ્રલાઈઝેશન થયું. બંગાળના ગવર્નર જનરલને આખા ભારતનો 'ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા' બનાવી દીધો! અને એ પહેલો માણસ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. કંપનીનો ચા અને ચીન સાથેનો વેપાર પણ છીનવી લીધો અને તેને ફક્ત રાજ કરવા માટે જ રાખી.
  • ​ચાર્ટર એક્ટ - 1853: આ કાયદો છેલ્લો હતો. લોર્ડ ડેલહાઉસીએ આ કાયદા અંતર્ગત પહેલીવાર આઈસીએસ (ICS - કલેક્ટર) ની પરીક્ષા માટે દરવાજા ખુલ્લા મૂક્યા.

​બોનસ પોઈન્ટ: ગોખ્યા વગર સાલવારી અને કાયદા યાદ રાખવાની ટ્રીક

​મિત્રો, જો તમે ધ્યાન આપશો તો આ કાયદાઓની સાલ ગોખવાની જરૂર નહિ પડે. શરૂઆત કરો 1773 (રેગ્યુલેટિંગ એક્ટ) થી. હવે એમાં સીધા 20 વર્ષ ઉમેરો એટલે 1793 (પહેલો ચાર્ટર). વળી 20 ઉમેરો એટલે 1813 (બીજો ચાર્ટર). વળી 20 ઉમેરો એટલે 1833 (ત્રીજો ચાર્ટર), અને વળી 20 ઉમેરો એટલે 1853 (ચોથો ચાર્ટર).
અને એક માસ્ટર ફેક્ટ: બંગાળનો પહેલો ગવર્નર (રોબર્ટ ક્લાઈવ) > બંગાળનો પહેલો ગવર્નર જનરલ (વોરન હેસ્ટિંગ્સ) > ભારતનો પહેલો ગવર્નર જનરલ (વિલિયમ બેન્ટિક) > ભારતનો પહેલો વાઈસરોય (લોર્ડ કેનિંગ). બસ આ 4 નામ યાદ રાખો એટલે પરીક્ષામાં તમારો 1 માર્ક પાક્કો.

🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 25

કુલ પ્રશ્નો: 25
કુલ માર્ક્સ: 25
તમે મેળવેલા માર્ક્સ: 0
એટેમ્પ્ટ કરેલા પ્રશ્નો: 0
સાચા જવાબો: 0
ખોટા જવાબો: 0
છોડી દીધેલા પ્રશ્નો: 0

સાચા જવાબો અને સમજૂતી (Solutions)

1) ભારતમાં વેપાર કરવા આવનાર યુરોપિયન પ્રજામાં સૌથી છેલ્લે કઈ પ્રજા આવી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ભારતમાં આવવાનો ક્રમ: 1) પોર્ટુગીઝ, 2) ડચ, 3) અંગ્રેજ, 4) ડેનિશ, 5) ફ્રેન્ચ. (સૌથી છેલ્લે 1668માં ફ્રેન્ચો આવ્યા).

2) ઈ.સ. 1608 માં સુરત બંદરે આવનાર પ્રથમ અંગ્રેજ જહાજ 'હેક્ટર' નો કપ્તાન કોણ હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:વિલિયમ હોકિન્સ 'હેક્ટર' નામનું જહાજ લઈને આવ્યો હતો અને તે જહાંગીરના દરબારમાં પરવાનગી લેવા ગયો હતો.

3) બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા મુઘલ બાદશાહે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની સત્તાવાર પરવાનગી આપી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ઈ.સ. 1613 માં સર થોમસ રો ને મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા સુરતમાં કોઠી સ્થાપવાની ઔપચારિક પરવાનગી મળી હતી.

4) અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ભારતમાં સર્વોચ્ચતા સ્થાપવા કયા યુદ્ધો લડાયા હતા?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 1746 થી 1763 દરમિયાન દક્ષિણ ભારતમાં ત્રણ 'કર્ણાટક વિગ્રહો' (Carnatic Wars) થયા હતા.

5) ઇતિહાસ પ્રસિદ્ધ 'પ્લાસીનું યુદ્ધ' ક્યારે લડાયું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવ અને બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા વચ્ચે લડાયું હતું.

6) બક્સરના યુદ્ધ (1764) માં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:પ્લાસીમાં ક્લાઈવ હતો, પણ બક્સરના નિર્ણાયક યુદ્ધમાં અંગ્રેજ સેનાનો કમાન્ડર 'હેક્ટર મુનરો' હતો.

7) કયા યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 'દીવાની સત્તા' (મહેસૂલ ઉઘરાવવાની સત્તા) મળી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1764 ના બક્સરના યુદ્ધ પછી 1765 માં અલ્હાબાદની સંધિ થઈ, જેનાથી અંગ્રેજો ભારતની તિજોરીના માલિક બન્યા.

8) ભારતમાં 'સહાયકારી યોજના' (Subsidiary Alliance) કોણે શરૂ કરી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:લોર્ડ વેલેસ્લીએ આ યોજના શરૂ કરી હતી, જેને સ્વીકારનાર પ્રથમ રાજા હૈદરાબાદનો નિઝામ હતો.

9) ભારતમાં 'ખાલસા નીતિ' (Doctrine of Lapse) નો અમલ કોણે કર્યો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:લોર્ડ ડેલહાઉસીએ પુત્રહીન રાજાઓના રાજ્યો ખાલસા કરવા માટે આ નીતિ અપનાવી હતી (દા.ત. સતારા, ઝાંસી, નાગપુર).

10) બંગાળમાં 'દ્વિમુખી શાસન પદ્ધતિ' (Dual Government) કોણે દાખલ કરી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બક્સરના યુદ્ધ પછી રોબર્ટ ક્લાઈવે દીવાની સત્તા (પૈસા) પોતાની પાસે રાખી અને ફોજદારી સત્તા (જવાબદારી) નવાબને આપી, જેને દ્વિમુખી શાસન કહેવાય. (વોરન હેસ્ટિંગ્સે તે નાબૂદ કરી હતી).

11) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હતી? (અહીં 1773 ના એક્ટ મુજબ બંગાળનો ગવર્નર જનરલ સમજવો)

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:રેગ્યુલેટિંગ એક્ટ (1773) મુજબ બંગાળના ગવર્નરને 'ગવર્નર જનરલ' નો હોદ્દો મળ્યો, અને વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બન્યો.

12) ભારતમાં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો કોણે પસાર કર્યો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:રાજા રામમોહનરાયના પ્રયાસોથી 1829 માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો.

13) બ્રિટિશ ભારતમાં પ્રથમ રેલવે લાઇન (મુંબઈથી થાણા) કયા વર્ષે શરૂ થઈ?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:લોર્ડ ડેલહાઉસીના સમયમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈથી થાણા વચ્ચે 34 કિ.મી. લાંબી ભારતની પહેલી રેલવે શરૂ થઈ હતી.

14) 'ભારતમાં અંગ્રેજી શિક્ષણના પિતા' તરીકે કોને ઓળખવામાં આવે છે?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1835 માં લોર્ડ મેકોલેની ભલામણથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી.

15) અંગ્રેજોના સમયમાં બનેલી 'બ્લેક હોલ ટ્રેજેડી' (કાળકોઠરીની ઘટના) કયા નવાબના સમયમાં બની હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1756 માં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાએ કલકત્તા પર હુમલો કરી 146 અંગ્રેજોને નાની કોઠરીમાં પૂર્યા હતા, જેમાં ગૂંગળાઈને 123 ના મોત થયા હતા.

16) ભારતમાં સિવિલ સર્વિસીસ (સનદી સેવાઓ) નો પાયો કોણે નાખ્યો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:લોર્ડ કોર્નવોલિસને ભારતમાં સનદી સેવાઓ (કલેક્ટર પદ) ના પિતા ગણવામાં આવે છે.

17) નીચેનામાંથી કયો ગવર્નર જનરલ પોતાની 'ઉદાર' નીતિઓ અને 'પ્રેસની મુક્તિ' માટે જાણીતો છે?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ચાર્લ્સ મેટકાફને 'ભારતીય પ્રેસના મુક્તિદાતા' કહેવાય છે, અને લોર્ડ રિપન તેના ઉદાર કાર્યો (સ્થાનિક સ્વરાજ્ય) માટે જાણીતો છે. (અહી પ્રશ્ન મુજબ મેટકાફ સૌથી યોગ્ય છે, પણ 'ઉદાર' શબ્દ રિપન માટે પણ વપરાય છે. અહી આપણે મેટકાફ ધ્યાનમાં લઈશું).</

18) 'વાંડીવાશનું યુદ્ધ' (1760) કોના વચ્ચે લડાયું હતું, જેનાથી ભારતમાં ફ્રેન્ચ સત્તાનો અંત આવ્યો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:આ યુદ્ધમાં અંગ્રેજ સેનાપતિ સર આયરકૂટે ફ્રેન્ચ સેનાપતિ કાઉન્ટ ડી લાલીને હરાવીને ફ્રેન્ચોનો સફાયો કર્યો હતો.

19) 'ઠાક પ્રથા' (Thuggee) નો નાશ કયા ગવર્નર જનરલના સમયમાં થયો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:લોર્ડ વિલિયમ બેન્ટિકે 'કેપ્ટન સ્લીમેન' ની મદદથી દેશમાં ફેલાયેલી આ ભયાનક લૂંટારા પ્રથા (ઠાક પ્રથા) નો અંત કર્યો હતો.

20) ડેલહાઉસીએ કયા બહાના હેઠળ 'અવધ' રાજ્યને ખાલસા કર્યું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ઝાંસી અને સતારાને દત્તક પ્રથાથી ખાલસા કર્યા હતા, પણ અવધના નવાબ પર 'ગેરવહીવટ' નો આરોપ મૂકીને તેને પડાવી લીધું હતું.

21) ભારતમાં પ્રથમ પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રાફ સેવા કોના શાસનકાળમાં શરૂ થઈ?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહેવાય છે, કારણ કે રેલવે, પોસ્ટ, ટેલિગ્રાફ અને PWD ની શરૂઆત તેમણે જ કરાવી હતી.

22) 'વુડ્સ ડિસ્પેચ' (1854) નો સંબંધ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ચાર્લ્સ વુડના આ રિપોર્ટને 'ભારતીય શિક્ષણનો મેગ્નાકાર્ટા' (મહાઅધિકાર પત્ર) કહેવામાં આવે છે, જેના આધારે યુનિવર્સિટીઓ શરૂ થઈ.

23) ભારતમાં 'જમીન મહેસૂલ કાયમી જમાબંધી' (Permanent Settlement) 1793 માં કોણે લાગુ કરી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બંગાળમાં જમીનદારોને કાયમી જમીનમાલિક બનાવીને નક્કી કરેલું મહેસૂલ કંપનીને આપવાની આ પદ્ધતિ લોર્ડ કોર્નવોલિસે લાગુ કરી હતી.

24) 'આંગ્લ-મૈસુર વિગ્રહ' દરમિયાન 'મૈસુરનો વાઘ' (Tiger of Mysore) તરીકે કોણ જાણીતું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ચોથા આંગ્લ-મૈસુર યુદ્ધ (1799) માં લડતા લડતા શહીદ થયેલા ટીપુ સુલતાનને 'મૈસુરના વાઘ' તરીકે ઓળખવામાં આવે છે.

25) કંપની શાસનનો અંત કયા વર્ષના 'ભારત શાસન અધિનિયમ' દ્વારા કરવામાં આવ્યો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1857 ના વિપ્લવ પછી, 1858 ના કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું અને ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજ (મહારાણી) ના હાથમાં ગયું.


લેખકનો પરિચય: Gujarati Job Quiz ટીમ.
અમે પુસ્તકોની અઘરી અને ગોળ-ગોળ ભાષામાંથી બહાર કાઢીને, તમને સીધી અને દેશી ભાષામાં કન્સેપ્ટ સમજાવવામાં માનીએ છીએ. નીચે આપેલી 25 પ્રશ્નોની લાઈવ ટેસ્ટ આપીને તમારું સ્કોરકાર્ડ ચેક કરો અને આવી જ ટેસ્ટ રોજેરોજ આપવા અમારી વેબસાઈટ ડેઈલી ચેક કરતા રહો.